Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમિયાન ચાર નવા કોરોના કેસ સાથે કુલ આંક ૮૪ થી વધુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ચિંતા ફેલાવા પામી છે. ગઇકાલ સાંજે તથા આજે આવેલા ચાર જેટલા કોરોના સંક્રમિત કેસની સાથે અત્યારસુધીમાં ૮૪ થી વધુ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે. જયારે જે પૈકી સાત કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. વિગતો મુજબ તાલુકામાં તા. ૧૪ મી ના રોજ મોડી સાંજે જાહેર થયેલા તથા આજના મળી વધુ ચાર નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં ગઇકાલે પોઝીટીવ આવેલા મહીલા દર્દી સવિતાબેન ભીખાભાઈ વસાવા ઉ.વ ૭૫ રહે. અવિધા તથા આજે પોઝિટિવ આવેલા અરવિંદ રામુભાઇ વસાવા ઉ.વ ૩૭ રહે. વંઠેવાડ, બાબુભાઈ ભીખાભાઈ વસાવા ઉ.વ ૪૭ રહે. શિયાલી ઝઘડીયા અને બાબુભાઇ મગનભાઇ વસાવા ઉ.વ ૫૦ રહે. સ્ટેટ બેંક પાછળ સુલતાનપુરા ઝઘડીયાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૮૪ જેટલો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. અને સંબંધિત પરીવારોના સર્વે કરી તમામ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા ચિંતા ફેલાવા પામી છેે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં સૌથી વધુ બહારગામથી લોકોની આવન-જાવન રહે છે તથા જીઆઇડીસીમાં આવતા જતા લોકોના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી.

ProudOfGujarat

અંકલેશ્વર ને. હા 48 પર વર્ષા હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

રાજપીપળામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે 72 માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!