Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં કોવિડ સ્મશાનમાં કામ કરતો એકમાત્ર મુસ્લિમ યુવક જાણો કોણ ?

Share

ભરૂચ નજીક વહેતી નર્મદા નદીનાં કિનારે કોવિડ સ્મશાન આવેલ છે જેમાં એકમાત્ર મુસ્લિમ યુવક ઈરફાન મલેક અને તેમની ટીમ દ્વારા અત્યારસુધી 200 કરતાં વધુ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ઇરફાન મલેકનાં જણાવ્યા અનુસાર અમે પોતાની અને પરિવારની પરવાહ કાર્ય વગર આ કામ કરીએ છીએ. જયારે કોરોના પોઝિટિવ મૃતદેહોનાં પરિવારવાળા હાથ લગાવવા તૈયાર નથી હોતા એવા મૃતદેહોને અમારા દ્વારા હિન્દૂ વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવે જેથી અમને ખુશીનો અનુભવ થાય છે. ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી વધતાં કોરોનાથી મોત પામતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે ઈરફાન અને તેની ટીમ દ્વારા ખૂબ માનવતાવાદી કાર્ય થઈ રહ્યું છે. જેઓને ઠેરઠેરથી આદર અને સન્માન પ્રાપ્ત થઈ રહ્યા છે. કોમી એકતા અને ભાઈચારાનો આ એક આદર્શ અને ઉમદા ઉદાહરણ કહી શકાય કે જયારે એક મુસ્લિમ યુવક અને તેમની ટીમ હિન્દુઓને પણ તેમની વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. ગત રોજ વિવિધ સંસ્થા દ્વારા ઈરફાન મલેકને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી રદ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદે પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે,જાણો વધુ

ProudOfGujarat

દહેજ નજીક જોલવા-વડદલા ગામે ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતાં બે ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!