Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મંદી અને મોંધવારી એટલે કે નાણાંકીય દુકાળમાં અધિક માસનો પ્રારંભ ભરૂચ જીલ્લા માટે કારમો સાબિત થશે જાણો કેમ ?

Share

હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં મંદી અને મોંધવારીનું વાતાવરણ જણાય રહ્યું છે. આ મંદી અને મોંધવારીનાં વાતાવરણમાં આ વર્ષે અધિક માસ આવતા ભરૂચ જીલ્લાનાં લોકો એમ કહી રહ્યા છે કે દુકાળમાં અધિક માસ તે આનું નામ એમ કહી શકાય. આ માસ આવવાના પગલે શ્રાદ્ધની અમાસ અને નવરાત્રિ મહોત્સવનાં પ્રારંભ વચ્ચે એક મહિના જેટલું અંતર થઈ ગયું છે. અધિક માસમાં નર્મદા નદીનાં કિનારે દાન પુણ્યનો મહિમા છે પરંતુ કૂવામાં હોય તો હવાડામાં આવે એમ ભરૂચ જીલ્લાનાં લોકો પાસે જો દાન આપવા માટે રોકડા નાણાં કે અનાજ હશે તો તેઓ દાન આપશે પરંતુ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી ઉપરાંત મંદી અને મોંધવારીએ બેવડો માર માર્યો છે તેથી જ ગુજરાતીમાં ચાલી આવતી કહેવત દુકાળમાં અધિક માસ તે સાચી પડતી જણાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!