Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે 4 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો.

Share

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે મગર જણાતા ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. મગર જણાતા જ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. ભરથાણા ગામના સરપંચ દ્વારા વનવિભાગને જાણ કરાતા ગામ તળાવમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ ગામ તળાવમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું હોવાથી લોકોમાં મગરનો ભય વધુ ફેલાયો હતો. કપડાં ધોવાથી માંડીને અન્ય બાબતો અંગે લોકો ગામ તળાવ ખાતે જતાં હોય ત્યારે મગર જણાતા ગભરાહટ થાય તે સ્વાભાવિક બાબત છે. આવા સમયે સરપંચએ વનવિભાગને જાણ કરતાં પાંજરું મૂકી ગણતરીનાં 24 કલાકમાં જ મગર પાંજરામાં પુરાય ગયો હતો. જેના પગલે ગામ લોકોમાં હાશકારાની લાગણી ફેલાય ગઈ હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડુમખલ પંચાયત દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા બાબતે રાજપીપળા ડેપો મેનેજરને આવેદન આપ્યું.

ProudOfGujarat

ગુજરાતમાં માલધારીઓનું ઉગ્ર આંદોલન, સુરતમાં તાપી નદીમાં દૂધ ઠાલવીને કર્યો વિરોધ.

ProudOfGujarat

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!