Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બંધનાં ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા.

Share

ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

આજે નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧.૪૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૭.૦૩ મીટરે પહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા, ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ નર્મદા બંધનું લાઇવ સ્ટોરેજ ૫૨૪૦.૩૦ MCM નોંધાયું છે.

Advertisement

રાજપીપળા આરીફ જી કુરેશી


Share

Related posts

સર્વિસ રોડ પર જ આર.ટી.ઓ. નો અડિંગો, અંકલેશ્વરમાં પાર્સિંગ રી પાર્સિંગ કેમ્પ અન્ય વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યું

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા નૂતન સુવિધા ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોનની રજૂઆત.

ProudOfGujarat

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!