Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બંધનાં ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા.

Share

ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

આજે નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧.૪૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૭.૦૩ મીટરે પહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા, ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ નર્મદા બંધનું લાઇવ સ્ટોરેજ ૫૨૪૦.૩૦ MCM નોંધાયું છે.

Advertisement

રાજપીપળા આરીફ જી કુરેશી


Share

Related posts

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યા કરેલ બનાવનો ભેદ ખુલ્યો જાણો કેવી રીતે …. આ સનસનાટીભર્યા હત્યાના બનાવમાં કોણ અને કેવી રીતે સંડોવાયું .

ProudOfGujarat

રાજપીપળા : આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલનાં હસ્તે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ નબીપુર નજીક એક સાથે પાંચ વાહનોના અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત અન્ય પાંચ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!