Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો ત્રાહિમામ.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં અને ગુજરાતની મુંબઈ અને અમદાવાદ તેમજ દિલ્હીનાં માર્ગો માટે કરોડરજજુ સમાન એવા ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિકજામ રહેવાના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યા નિરાકરણ અંગે પોતાના તમામ પ્રયાસો કરવા છતાં તેનું પરિણામ જણાયું ન હોય તેમ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી. કોરોના યુગમાં જયારે વખતો વખત દર્દીને એમ્બુલન્સમાં એક શહેરથી બીજા શહેરમાં લાવવા લઈ જવા પડે છે ત્યારે દર્દીઓની એમ્બુલન્સ પણ ટ્રાફિકજામમાં ફસાય હોવાના કિસ્સા સંભરાય રહ્યા છે. આવા સમયે ભરૂચ પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક યથાવત કરવા પૂરતા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

રાજકોટના ભુવાણા નજીક વહેલી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક-યુવતીનું મોત

ProudOfGujarat

જાણો ચૂંટણી અંગેની વિગતો.જાણવા અંગેના મહત્વના ટેલિફોન નંબરો…

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં રાજહોટલથી લઈ બસ સ્ટેશનના રસ્તાઓ પર રખડતા ઢોરોનું રાજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!