Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે નર્મદા ડેમની સપાટી ૧૩૬.૭૩ સુધી પહોંચી.

Share

ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૬.૭૩ મીટરે પોહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.

Advertisement

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં રાજવાડી ગામે ખેત મજૂરો પર મધમાખીનાં ઝુંડનો હુમલો.

ProudOfGujarat

આમોદના આછોદ ગામ ખાતે તસ્કરોનો આતંક, ફોરવ્હીલમાં આવેલ તસ્કરો સાત બકરા ચોરીને ફરાર થતા પશુપાલકોમાં ભય.

ProudOfGujarat

ગોધરા : પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં MGVCL નાં જોખમી વીજ વાયરોનું સમારકામ કયારે ? સ્થાનિકો કરી રહ્યા છે સવાલ.!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!