ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.
નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૬.૭૩ મીટરે પોહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.
Advertisement
રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા