Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ મહોત્સવ મોકૂફ રખાતા નવરાત્રિનાં પહેરવેશ સસ્તામાં વેચવાનું આયોજન વેપારીઓ કરી રહ્યા છે.

Share

ભરૂચ જીલ્લામાં નવરાત્રિ મહોત્સવ ખૂબ મોટા પાયે ઉજવવામાં આવે છે. પરિણામે નવરાત્રિનાં પરંપરાગત પહેરવેશની ભારે માંગ નવરાત્રિ મહોત્સવનાં દિવસોમાં હોય છે. જેના પગલે વેપારીઓ જથ્થાબંધ ધોરણે નવરાત્રિનાં ચણિયાચોલી, કુરતા પાયજામા અને અન્ય પહેરવેશ લઈ આવતા હોય છે. કેટલાક વેપારીઓ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અવનવા ડ્રેસોનું વેચાણ કરી જીવન ગુજરાન કરે છે. તેવા સમયે આ વર્ષે કોરોના મહામારીનાં પગલે હવે વેપારીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેઓ પોતાનું આર્થિક રોકાણ રિકવર કરવા સસ્તા ભાવે પહેરવેશનું વેચાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેવા સમયે કેટલાક વેપારીઓ ગત વર્ષોમાં વધેલ પહેરવેશ પણ સસ્તામાં વેચવા સેલનું આયોજન કરવા વિચારે પરંતુ નવરાત્રિ મહોત્સવ યોજતો ન હોય તેવા સમયે આવા સેલમાંથી કોણ ખરીદી કરશે તે એક સમસ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા પ્રજામાં રોષ : સમસ્યા નિવારવા કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા દ્વારા ગેરકાદેસર દબાણો દુર કરાતા દબાણકારોમાં રોષ

ProudOfGujarat

ભરૂચ દહેજની લુના કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!