Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામ ખાતે ખોદકામ કરાયેલ સ્થળે ભરાયેલ પાણીમાં યુવક નું ડૂબી જતાં મોત, લાશને જોવા લોક ટોળા જામ્યા…!!

Share

ભરૂચ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોય તેવા બનાવો વધી ગયા છે. ઝંઘાર ગામના તળાવમાં એક યુવાન તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝંઘાર નવીનગરી ખાતે રહેતો 20 વર્ષનો યુવાન વિશાલ બુધાભાઈ રાઠોડ બજાર જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તળાવ આવતા તળાવમાં પગ ધોવા જતા પગ પાણીમાં લપસી જતા તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશનના ક્લાર્કને રૂ.8000 ની લાંચ લેતા ACB એ ઝડપ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

જુનાગઢ: ભાજપના કોર્પોરેટર સહિત આઠ લોકો જુગારના રમતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!