Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

Share

ભરૂચ જીલ્લાનાં ઝધડિયા તાલુકાનાં બોરિદ્રા ગામ પાસેથી પસાર થતી ખાડીમાં પાણી છોડવા અંગેની કંપનીની બેજવાબદારી ભરેલ આદતમાં કોઈ સુધારો આવ્યો નથી.

GPCB દ્વારા સેમ્પલ લેવાયા હોવા છતાં GPCB તંત્રને ધોળીને પી ગયા હોય તેમ ઝધડિયા તાલુકાનાં બોરિદ્રા વિસ્તારમાં આ પંથકમાં આવેલ કેટલાક કંપનીનાં કર્તાહર્તાઓએ આ વારંવારનું વલણ અપનાવ્યું હોય તેમ ફરી એકવાર એ જ ખાડીમાં એ જ રીતે દૂષિત પાણી છોડતા માછલીઓનાં મોત નીપજયાં હતા સાથે ખેતરની જમીનને પણ નુકસાન પહોંચ્યું હતું આ બાબતે બે હકીકત લોકોમાં ચર્ચાઇ રહી છે કે કયાં તો GPCB નાં તંત્ર સાથે કંપનીનાં કર્તાહર્તાઓનું મેળાપીપણું છે કે GPCB તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની કોઈ પરવાહ કંપનીનાં કર્તાહર્તાને નથી એટલી હદે તેઓ ટેવાઇ ગયેલા છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝનોર ગામ ખાતે મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કરતા મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા ન્યાલકરણ નર્સિંગ કોલેજ દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે સ્ટ્રીટ પ્લે યોજાયું.

ProudOfGujarat

‘Aditya L1 Mission’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISRO એ શેર કરી પ્રથમ તસવીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!