Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને : કેટલીક હોટલોમાં ડુંગળી પીરસવાનું બંધ કરાયું.

Share

મહારાષ્ટ્રનાં નાસિક ખાતેથી ભરૂચ જીલ્લામાં ડુંગળી આવવાની ઓછી થતાં ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને ચઢી ગયા છે. આજે તા. 3/11/2020 રોજ ભરૂચ ડુંગળીનાં ભાવ રૂ. 80 થી 90 રૂપિયા કિલો સુધીના પહોંચી ગયા હતા જેના કારણે ભરૂચની ગૃહિણીઓમાં આંસુ આવી ગયા હતા. અચાનક ડુંગળીનાં ભાવ વધવાના કારણે જોતાં આ વર્ષે વરસાદ વધુ વરસતા ડુંગળીનો પાક લગભગ નિષ્ફળ ગયો છે તે સાથે સાથે લોક ડાઉન અને કોરોનાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે આવા તમામ પરિબળો ભેગા થતાં ભરૂચ સહિત સમગ્ર ગુજારાતમાં ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. આટલા ઊંચા ભાવની ડુંગળી ભરૂચ પંથકમાં કોઈ ભજીયાનાં વેપારી 100 ગ્રામ ભજીયા સાથે ડુંગળી ન આપે તે સ્વાભાવિક બાબત છે. ધીમે ધીમે ડુંગળીનું ચલણ ઘટવા માંડયું છે જેના કારણે ભરૂચ જીલ્લાનાં ડુંગળીનાં વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે તો તેની સાથે શિયાળાની ઋતુએ ડુંગળીની ઋતુ નથી. ડુંગળીનું વેચાણ ઉનાળાની ઋતુમાં વધુ થતું હોય છે તેવા સમયે ડુંગળીનાં ભાવ હાલ ગૃહિણીઓને રડાવી રહ્યા છે ત્યારે લોકો હવે ડુંગળીનાં કચુંબરનાં સ્થાને કાકડી અને અન્ય શાકભાજીનો કચુંબર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીનાં પગાર ન ચૂકવાતા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં ફરી સર્જાયો ટ્રાફિક જામ, ટેમ્પો બંધ પડતાં અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંપ અને સંરક્ષણ દીવાલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!