Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નેશનલ હાઇવે નં. ૪૮ કોસંબાનાં નંદાવ પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો…

Share

મુંબઈથી અમદાવાદ જતાં રસ્તા પર દિપાવલી બાદ વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે ત્યારે નાના-મોટા અકસ્માતોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. આવો જ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનાં કોસંબા પાસેના નંદાવ પાટિયા નજીક સર્જાયો હતો. ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતની વિગત જોતાં મળતી માહિતી મુજબ એક કાર મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી તેમાં કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એટલુજ નહીં પરંતુ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કારચાલક સામેના ટ્રેક પર આવી જતાં કાર ટ્રક સાથે અથડાઇ હતી જેથી કારમાં સવાર બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

કંબોલી હાઇસ્કુલ માં આંતરવર્ગીય વિજ્ઞાન પ્રદર્શન અંગે ની હરીફાઈ યોજાઈ

ProudOfGujarat

હું તને જાહેરમાં કહું છું, શુ તું મારી સાથે લગ્ન કરીશ, સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલને કર્યું પ્રપોઝ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!