Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની દાયચી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ….

Share

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં જોલવા નજીક આવેલ કેમિકલ કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

આગ લાગ વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવા અંગેનું કારણ જાણી શકાયું નથી જોકે આ આગના બનાવમાં કોઇ જાનહાની થઈ ન હતી પરંતુ આગની ઘટનામાં કંપનીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. ભરૂચ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સ્થાનિક કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લઇ લીધી હોવાથી ભરૂચ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે જવાની જરૂર પડી ન હતી.

Advertisement

Share

Related posts

નર્મદામાં વધતાં કોરોનાને કારણે કેવડિયાનો પતંગ મહોત્સવ રદ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 55.49% આવ્યું.

ProudOfGujarat

નડિયાદના જોરાબંધમાં ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદની સેશન્સ અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!