Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી.

Share

છેલ્લા એક મહિનાનાં સમય દરમિયાન અંકલેશ્વર પંથકમાં અગમ્ય કારણોસર લાગતી આગનાં બનાવોમાં એકધારો વધારો થયો હતો વિવિધ કંપનીઓમાં લાગેલ આગમાં જંગી નુકસાન થયું હોવાનો બનાવો પણ બન્યા હતા, ત્યારે આજે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અચાનક અને અગમ્ય કારણોસર આગ લાગી હતી.

ભંગારનાં ગોડાઉનમાં લાગેલ આગનાં ધુમાડાનાં ગોટેગોટા રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી જણાતા હતા. આ આગમાં પૂંઠા, પ્લાસ્ટિક, ખાલી ડ્રમ વગેરે ભંગારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે આગને કાબુમાં લેવા 5 જેટલા ફાયર ફાયટરોએ અસરકારક કામગીરી કરવી પડી હતી. આવી આગ લાગવાના કારણો છેલ્લે સુધી જાણી શકાતા નથી કેટલાક લોકો આવી આગનાં બનાવો અંગે શંકા કુશંકાઓ પણ ધરાવી રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં લાગતી અગમ્ય કારણોસરની આગને અંગે સધન તપાસ થવી તે જરૂરી છે આવી આગમાં જંગી નુકસાન થતું હોય છે.

Advertisement

Share

Related posts

સુરતના પાલ ઉમરા બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડતા એકનું મોત

ProudOfGujarat

વડોદરામાં કલેકટર આર. બી. બારડે વેક્સિનેશન સ્થળની મુલાકાત લઇ છાત્રો સાથે સંવાદ કર્યો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!