Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધુ એકવાર ટ્રાફીકજામની સમસ્યા સર્જાતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ સરદાર બ્રિજ પર રસ્તા રિપેરિંગ કાર્યને લઈને વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફીકજામની સમસ્યા વધુ વકરી રહી છે. આ અગાઉ પણ અનેકવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાવાનાં બનાવો બન્યા હતા પરંતુ તંત્ર દ્વારા કાયમી ધોરણે આ સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી હાલમાં પણ મુલદ ટોકનાકાથી નર્મદા ચોકડી સુધીનાં માર્ગ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે જેના પગલે વડોદરાથી સુરત જતાં અનેક વાહનો ટ્રાફીકજામમાં ફસાયા છે કલાકો સુધી ટ્રાફીકમાં રહેવાના પગલે વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

Advertisement

Share

Related posts

સુરત : આજે આપણે એક એવા ચર્ચની વાત કરી રહ્યા છીએ જે 200 વર્ષ જુનું છે.

ProudOfGujarat

ઘાસની ગંજીઓમાં છુપાવી રાખેલો વિદેશી દારુના જથ્થા સાથે એકની અટક

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!