Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગનાં તુલસી ફળિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગનાં બનાવમાં બે થી ત્રણ જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી જંગી નુકસાન થયું હતું. અચાનક ફાટી નીકળેલ આગના પગલે લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગવા અંગેનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.

ગાંધી બજાર નજીક નેત્રંગમાં આવેલ તુલસી ફળિયાનાં મકાનોમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. તુલસી ફળિયાનાં મકાનો એકબીજાને અડીને આવેલ હોવાથી આ આગ ઝડપથી પ્રસરે તેવી સંભાવના હતી જોકે આગે બે થી ત્રણ મકાનોને ઝપેટમાં લીધા હતા પરંતુ તે સાથે નેત્રંગનાં લોકો અને ખાસ કરીને યુવાનોએ ખુબ સતર્કતા બતાવી હતી અને જાતે જ સતત પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી.

જોનારાનાં જણાવ્યા મુજબ જો આગને કાબુમાં લેવામાં થોડો વિલંબ કે મોડું થયું હોત તો તુલસી ફળિયાનાં વધુ મકાનો આગની લપેટમાં આવી જતા ખુબ મોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હતી પરંતુ સદભાગ્યે આવી પરિસ્થિતિ સર્જાઈ ન હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા ખાતે મામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓની કરાઇ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામ જાહેર, વિધાર્થીઓ માં અનેરો ઉત્સાહ,ગત વર્ષ કરતા સારું રહ્યું જિલ્લા નું પરિણામ…તમામ વિધાર્થીઓને શુભેચ્છાઑ

ProudOfGujarat

આમ આદમી પાર્ટી દ્વારાતા. ૨૬, ૨૭ ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!