Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગનાં તુલસી ફળિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગનાં બનાવમાં બે થી ત્રણ જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી જંગી નુકસાન થયું હતું. અચાનક ફાટી નીકળેલ આગના પગલે લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગવા અંગેનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.

ગાંધી બજાર નજીક નેત્રંગમાં આવેલ તુલસી ફળિયાનાં મકાનોમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. તુલસી ફળિયાનાં મકાનો એકબીજાને અડીને આવેલ હોવાથી આ આગ ઝડપથી પ્રસરે તેવી સંભાવના હતી જોકે આગે બે થી ત્રણ મકાનોને ઝપેટમાં લીધા હતા પરંતુ તે સાથે નેત્રંગનાં લોકો અને ખાસ કરીને યુવાનોએ ખુબ સતર્કતા બતાવી હતી અને જાતે જ સતત પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી.

જોનારાનાં જણાવ્યા મુજબ જો આગને કાબુમાં લેવામાં થોડો વિલંબ કે મોડું થયું હોત તો તુલસી ફળિયાનાં વધુ મકાનો આગની લપેટમાં આવી જતા ખુબ મોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હતી પરંતુ સદભાગ્યે આવી પરિસ્થિતિ સર્જાઈ ન હતી.

Advertisement

Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલા અનુષ્કા શર્મા અને સલમાન ખાનને પાછળ છોડીને 62.8 મિલિયન ફોલોઅર્સ સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રી બની

ProudOfGujarat

રાજપારડી-નેત્રંગ રોડ પર ખેતરમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ ઉમરપાડાની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!