Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા સુરતી ભાગોળ વિસ્તારમાં આજે તારીખ 9/12/2020 નાં રોજ અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક લાગેલ આગનાં પગલે સુરતી ભાગોળ વિસ્તારની ઝુંપડપટ્ટી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્રણથી ચાર જેટલા ઝૂંપડાઓ આગની લપેટમાં આવી જતા ઝુંપડામાંની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શ્રમજીવી અને ગરીબ વર્ગનાં લોકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું હતું તેથી વધુ કડકડતી આ ઠંડીના દિવસોમાં ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ છત વિહોણા થઈ ગયા હતા. નાના બાળકો અને મહિલાઓની પરિસ્થિતિ દયાજનક થઈ ગઈ હતી. અંકલેશ્વર ફાયર બ્રિગેડનાં જવાનોએ ત્વરિત અને અસરકારક કામગીરી કરતા કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા : રકતદાન કરવાની સદી મારી ચૂકેલા હોતચંદ ધમવાણી, અન્ય લોકો માટે પ્રેરણારૂપ.

ProudOfGujarat

અંક્લેશ્વર પંથકમાં રમજાન ઈદની ઉત્સાહભર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે : કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!