Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા માર્ગ પર સોમવારની મોડી રાત્રે બેફામ ઝડપે આવતી ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજયા હતા.

Share

પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વર-વાલીયા માલપર કોણે ગામે રહેતા બે યુવાનો બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ટ્રકની અડફેટે આવતા ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ નિપજયા હતા.

વાલિયા તાલુકાનાં કોંઢ ગામ ખાતે રહેતા હર્ષદ વસાવા તેમજ વિનોદ વસાવા સોમવારની મોડી રાત્રે લગભગ અગિયાર વાગ્યાના સુમારે પોતાની મોટર બાઈક પર જઈ રહ્યા હતાં ત્યારે વાલિયા માર્ગ પર આવેલ સીએનજી પંપથી થોડે આગળ કોઈક ટ્રકચાલકે બેફામ ઝડપે હંકારી તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હર્ષદ વસાવા તેમજ વિનોદ વસાવાને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી તેઓના મૃત્યુ નિપજયા હતા. બનાવ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ કપડવંજ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત.

ProudOfGujarat

વાલીયા એપીએમસીની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરી ચૂંટણી રદ કરવા અરજદારોએ અપીલ દાખલ કરી

ProudOfGujarat

માંગરોળમાં  વીજ દરોડા : 221 કનેક્શન ચેક કર્યા : 12.20 લાખની વિજચોરી ઝડપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!