Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

Share

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી આવે છે. જોકે તેઓને વારંવાર ઉચ્ચકક્ષાએ પત્ર લખવા અંગેનો ઠપકો મળ્યો હોવાના આક્ષેપોનાં કારણે પણ તેઓએ રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.

6 ટર્મથી લોકસભાની બેઠક જાળવી રાખનાર મનસુખભાઈ વસાવાએ આખરે રાજીનામું આપવા પાછળનું કારણ શું તેવા પ્રશ્નો ઊભા થયા છે તો લોકચર્ચા મુજબ તેઓના મત વિસ્તારમાં લોકોને પડતી હાલાકી પડતી હોવાના મુદ્દે પણ વારંવાર તેઓ ઉચ્ચકક્ષાએ લેખિત પત્ર લખીને રજૂઆત કરી રહ્યા હતા અને તેના કારણે પક્ષમાંથી પણ તેઓને ઠપકો મળ્યો હોવાની ચર્ચાઓ ના પગલે તેઓ રાજીનામું આપ્યુ હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.

Advertisement

Share

Related posts

કરજણ નજીક પર ટ્રક – કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : બુટલેગરો બેફામ બન્યા, પ્રજા બની લાચાર, જાણો વધુ મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈ શું રજુઆત કરી..!!

ProudOfGujarat

વિધવા હિન્દુ પુત્રવધુનો મુસ્લિમ સસરો શારીરિક છેડછાડ કરતો હોવાનો આક્ષેપ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!