Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આજથી વિદ્યા મંદિરનાં દ્વાર ખુલતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

Share

માંગરોળ તાલુકામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ શાળાઓમાં ચાલુ કરવાનું સરકારે સંમતિ આપતા આજથી શાળાઓ શરૂ થઈ હતી કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓનાં શિક્ષણ કાર્યમાં પણ છેલ્લા અગિયાર માસથી માઠી અસર પડી રહી હતી જેથી વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ સહારો લેવો પડ્યો હતો. 11 માસ બાદ સરકારે શિક્ષણકાર્ય ચાલુ કરવા પરમિશન આપતા સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓના આચાર્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકો શાળામાં સ્વચ્છતા, શિક્ષણકાર્યનું આયોજનની કામગીરીમાં લાગી ગયા હતા.

જેમાં દરેક રૂમોમાં સેનીટાઈઝર કરવામાં આવ્યા હતા તેમજ દરેક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસે એવું આયોજન સાથે સોશિયલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા તેમજ વાલીઓ પાસે ફરજીયાત સંમતિપત્રક લખાવવા માટે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું.

આજે સવારથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે તેમજ બસમાં સમયસર શાળાએ પહોંચી ગયા હતા. શાળાઓમાં પ્રવેશદ્વાર શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને થર્મલ ગન અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપાલન કરવા માસ્ક પહેરવા તેમજ ટોળામાં ભેગા ન થવા સૂચનાઓ આપવામાં આવી હતી. શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂઆત થતાં શાળાનાં આચાર્ય અને શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ED એ પૂર્વ જનરલ મેનેજર સહીત અન્ય 5 આરોપી સામે કરી કાર્યવાહી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

ProudOfGujarat

કોંગ્રેસ આક્રમક : ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે પાલિકામાં કર્યો હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!