Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

Share

ભરૂચ જીલ્લાનાં ઝધડિયામાં આવેલી આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ફરી એક વખત આરતી કંપની ચર્ચાનાં એરણે ચડી છે. ઝધડિયાની આરતી કંપની આ અગાઉ પણ વાયુ પ્રદૂષણ અને કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઇન બાબતે પ્રકાશમાં આવી હતી અને ગઇકાલે રાત્રે ફરી એક વખત આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપનીનાં ત્રણ વર્કરોને ઇજાઓ પહોંચ્યાની વાત બહાર આવી છે.

આ બનાવની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચ્યાનું જાણવા મળ્યું છે. આરતી કંપનીનાં નાઇટ્રેક એસિડ પ્લાન્ટમાં આવેલી મોટરમાં અચાનક ધડાકો થતા ત્રણ વ્યક્તિ ઉપર એસિડનાં છાંટા ઉડતાં આરતી કંપનીનાં શ્રમિકોને ઇજા પહોંચ્યાનું સામે આવ્યું છે. એસિડનાં છાંટા ઉડતા ઘાયલ થયેલા ત્રણ શ્રમિકોને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા : ગોત્રી વાસણા રોડ ઉપર પાર્ક કરેલ કારના ટાયર ચોરી થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી ગડખોલ પાટીયાથી ગોલ્ડાન બ્રિજ સુધી હરિયાળો પટ્ટો બનાવવાના પ્રોજેક્ટનો શુભારંભ જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ

ProudOfGujarat

ગોધરા નેહરુ યુવા કેન્દ્રની જિલ્લા સલાહકાર સમિતિ યુવા કાર્યક્રમની બેઠક જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!