Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે શિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબાના શિવલિંગની સ્થાપના કરાશે. ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા પૌરાણિક શિવાલયમાં શિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. રાણીપુરા ખાતે આવેલ જગન્નાથ મહાદેવ મંદિર ખાતે રાણીપુરાના ગ્રામજનોના સહયોગથી શિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબા બરફના શિવલિંગની સ્થાપના કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાણીપુરા ખાતે શિવરાત્રી નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ તથા મહાઅભિષેકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રી નિમિત્તે બરફનાં શિવલિંગનાં દર્શનનો લાભ લેવા મંદિર સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદામા મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસ…

ProudOfGujarat

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શ્રવણ ચોકડી ફ્લાય ઓવર બ્રિજની મંજૂરીને આવકારી.ફ્લાય ઓવર બ્રિજના નિર્માણ અંગે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવ્યા હતા તેમજ ધરણા કાર્યક્રમ પણ કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!