Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ચાલતી તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનાં કિનારે આવેલ હનુમાન સેવક અવતારી સિદ્ધ સંતપીઠ દાદા શ્રી સોમનાથ નથ્થુરામ રાવલ અને શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા આવતીકાલે ગુરુવારનાં રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કુંભગૃપ દ્વારા શિવલિંગ પર અભિષેક વિધિ શસ્ત્રોકત પૂજન, ભાંગની પ્રસાદી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વહેલી સવારથી આ મંદિરે જાહેર જનતા માટે વિવિધ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યંત હર્ષો ઉલ્લાસમાં નર્મદાનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતો માટે પ્રસાદ, પૂજા અર્ચના અને સાંજે પ્રહરી પૂજાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાત્રે આ સ્થળે લોક ડાયરો પણ રાખવામા આવ્યો છે. આથી શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા સર્વે શિવ ભકતોને શિવરાત્રિ નિમિત્તે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.

ProudOfGujarat

ભરૂચમાં લાખોના કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર RTI એક્ટિવિસ્ટ જેરામ ગલચરની સ્થિતિ PIU વિભાગે ફૂટબોલ સમાન બનાવી

ProudOfGujarat

વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે 210 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ, વરસાદમાં પાણી શોષાય તેવા ઘાસનો ઉપયોગ, જુઓ અન્ય વિશેષતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!