Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા બજેટસત્રની ચર્ચા દરમિયાન એવું નિવેદન આપેલ કે ગુજરાતમાંથી કયા આદિવાસી મેચ જોવા આવેલ અને જો આવ્યા હોય તો ટિકિટ બતાવે. આ સંદર્ભમાં ઉમરગામથી લઈ અંબાજી સુધી વસતા આદિવાસીઓનું અપમાન કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જો મેચના વિડિયો ફૂટેજ જોવામાં આવે તો જણાશે કે ઘણા આદિવાસી સમાજના લોકો મેચ દરમિયાન ઉપસ્થિત હતા.

આવા નિવેદન આદિવાસી સમાજ માટે અપમાનજનક હોય નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપે કે માફી માંગેની માંગ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, હીરાલાલભાઈ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ વસાવા, મહામંત્રી હિતેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જામનગર યાર્ડમાં કપાસની મબલખ આવક

ProudOfGujarat

વહેલી સવારથી જ ભરૂચમાં મેધ મહેર : ઠેર ઠેર પાણી ભરાયા.

ProudOfGujarat

ભાવનગરના પાલિતાણામાં માતા સંતાનોને શાળાએ મૂકવા જતાં એક્ટિવા સાથે પાણીમાં તણાયા : માતાનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!