Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, જિલ્લામાં રોજના કોરોનાનાં કેસોએ ગતિ પકડતા તંત્રની સાથે સાથે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચુક્યા છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 500 ને પાર પહોંચ્યો છે, કોવિડ સ્મશાનમાં ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમ સંસ્કાર થયા છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ ક્રિયા થઇ છે, તે બાબત પણ ચિંતા સમાન બની છે.

Advertisement

કોવિડ સ્મશાનમાં જાણવા મળ્યા મુજબ રોજનાં 2 થી 3 કોવિડ પ્રોટોકોલથી અંતિમ ક્રિયા થઇ રહી છે, સાથે જ તંત્રમાં અંતિમ ક્રિયા મામલે આંકડા અપડેટ કેમ નથી થતા તે બાબત પણ અહીંયા નોંધનીય બની છે, સરકારી અને ખાનગી લેબમાં થતા ટેસ્ટમાં કોરોનાની સ્થિતી ચિંતાજનક છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો ૩૯૬૯ લોકો કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે, જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને મહાત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

કોરોના મામલે હજુ પણ લોકો બેદરકારી દાખવતા હોય તેમ જોકે મળી રહ્યું છે, ભરૂચમાં વહીવટી તંત્ર પણ બગડતી સ્થિતિ સામે લોકોને સામાજીક અંતર, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે.


Share

Related posts

જંબુસરનાં ધારાસભ્ય સંજય સોલંકી સહીત ખેડૂતોએ મુખ્યમંત્રીને ખેતી સામે થયેલ નુકશાન અંગે આવેદન આપી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા માં સફાઈ કામદારો ને કાયમીના ઓર્ડર વિતરણ મામલે હોબાળો મચ્યો હતો..

ProudOfGujarat

અંકલેશ્વરના બોરીદ્ર ગામ પાસેની આમલાખાડીમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો મગર ઝડપી પાડ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!