Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સીલસીલો યથાવત, ૨૪ કલાકમાં ૭ અંતિમક્રિયા કરાઇ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર એક તરફ જોવા મળી રહ્યો છે, કોરોનાની બીજી લહેરમાં પોઝીટિવ કેસોનો આંકડો ૨૦૦ ને પાર પહોંચ્યો છે, ત્યારે કોવિડ સ્મશાનમાં પણ કોવિડ પ્રોટોકોલથી થતી અંતિમ ક્રિયાઓમાં મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

ભરૂચ, અંકલેશ્વર વચ્ચેની નર્મદા નદીનાં કાંઠે તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનનાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ થકી અગ્નિદાહ આપવામાં આવ્યા છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૫૨૨ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ થકી અંતિમક્રિયા કરવામાં આવી છે.

Advertisement

એક તરફ જ્યાં શહેર જિલ્લામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં આવતા જતા મૃતદેહો લોકોમાં તેમજ તંત્રમાં ચિંતાનો માહોલ ઉતપન્ન કરી રહી છે, વધતા જતા સંક્રમણ અને રોજ ડબલ ડિજીટમાં આવતા પોઝીટિવ કેસોનાં કારણે લોકોએ પણ હવે સ્વયંમ કાળજી દાખવવી ખૂબ જરૂરી બની છે.

ભરૂચમાં વધતા કોરોનાનાં સંક્રમણની ચેનને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર અને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા જેવી બાબતો ઉપર લોકોએ જાગૃતતા દર્શાવવી ખૂબ જરૂરી બની છે, સાથે જ જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોરોનાનું ચેકઅપ કરાવવા જેવી બાબતો જ વધતા સંક્રમણમાંથી મુક્તિ અપાવી શકે તેમ વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે બકરી ઈદની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ProudOfGujarat

અક્ષય કુમાર ‘મોસ્ટ વિઝિબલ સેલિબ્રિટી’ તરીકે સેલિબ્રિટી-સમર્થિત જાહેરાતો તરીકે ઉભરી આવ્યા, H1 2024 માં 10% નો વધારો*

ProudOfGujarat

ભરૂચનાં અંબાજી મંદિરમાં ભકતોની લાગી કતારો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!