Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

Share

કોવીડ-19 નાં દર્દીઓની સંખ્યામાં અત્યંત ઝડપી વધારો થઇ રહ્યો છે, ગરીબ તેમજ મધ્યમ વર્ગને હોસ્પિટલોમાં જગ્યાના હોવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર ખાતે ઈએસઆઇસી હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે સરકાર દ્વારા જાહેર કરાઈ પરંતુ અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોની વસ્તીને ધ્યાને લેતા એ પૂરતી નથી જેથી પ્રજાહિતને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા કોંગ્રેસના સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીના પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબ, સાંસદ મનસુખભાઇ વસાવા સાહેબ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબને પત્ર લખી વહેલી તકે કોવીડ-19 સેન્ટરો ઉભા કરવામાં આવે જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી ના પડે અને જીવ ગુમાવવા ના પડે તે માટે પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વિજય નગર પાસે આવેલ AXIS બેંકના એ.ટી.એમ. ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ : અજાણ્યો બુકાનીધારી તસ્કર સીસીટીવી માં કેદ થયો.

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ગીતા જ્ઞાન વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

सलमान और जैकलिन के साथ झूमने के लिए हो जाइए तैयार 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!