Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શાકમાર્કેટમાં તંત્રની એસીકી તેસી કરતા વેપારીઓ : કોરોના વેચવા બેઠા હોય તેવા જવાબો વેપારીઓ પાસેથી મળ્યા.

Share

હાલ કોરોનાએ લીંબડી શહેરમાં કહેર વર્ષાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્રએ કોરોનાની ગંભીરતા લઈને સરકારી ગાઈડલાઈનનુ પાલન કરવા લીંબડીની પ્રજાને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં લીંબડી શાકમાર્કેટમાં વેપારીઓ તંત્રની અપિલોને નજર અંદાજ કરી અને કોરોનાની સરકારી ગાઈડલાઈનનું ખુલ્લેઆમ એસી કી તેસી કરતા હોય તેમ લાગી રહ્યું છે

ત્યારે લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકી દ્વારા પણ વેપારીઓની બેઠક બોલાવી સોશ્યલ ડિસ્ટેન્સ તેમજ માસ્ક ફરજિયાત રાખવાં અપિલ કરવામાં આવી હતી તેમ છતાં લીંબડીના શાકભાજીના વેપારીઓ લાપરવાહ બની કોરોનાનો વેપાર કરતાં હોય તેમ વિડિયોમા દેખાય રહ્યું છે. ત્યારે હાલ કોરોના મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડાં કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે તંત્ર પણ ચુપ હોય તેમ લાગી રહ્યું છે જો તંત્ર દ્વારા આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનાર સમયે કોરોના કહેર માં થોડી રાહત મળે કેમ કે આવા લોકોની સામેની કડક કાર્યવાહી જોઈને અન્ય નઠારાઓમાં સુધારો આવી શકે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

થોડી નજર ઊંચી કરીને એ શરમાઈ ગઈ,જાણે જન્મોજનમના બંધનમાં બંધાઈ ગઈ…

ProudOfGujarat

ભરૂચ : જમાત એ ઉલેમા એ હિંદ, દારૂલ ઉલૂમ દેવબંદ અને તબલિગી જમાત પર પ્રતિબંધ મૂકવા અંગે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!