Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : બાવાગોર દરગાહ તા.૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રખાશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. આ ધર્મસ્થાનની ભારતભરના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ગણના થાય છે. હાલમાં વૈશ્વિક કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ઘણા ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

ઝઘડીયા તાલુકાની હઝરત બાવાગોરની દરગાહ પણ તા.૧૨ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરગાહ વહિવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવાના પગલા રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ ભુતપ્રેતના વળગાડવાળી અને મેલીવિધ્યાની અસરવાળી વ્યક્તિઓ માટે પરમ આસ્થાનું પ્રતિક મનાય છે. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયા પછી રાજય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે તેના અનુસંધાને દરગાહ તા.૩૦ મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય મદદનીશ વહિવટદાર મહંમદભાઇ સીંધી દ્વારા લેવામાં આવ્યો હોવાનું જણાવાયુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં ગુજરાતી ફરજિયાત, વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર

ProudOfGujarat

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

શું તંત્ર અજાણ..? : અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યા યથાવત : દુકાનદારો અને લારી ગલ્લાવાળા દ્વારા ગેરકાયદેસર દબાણના લીધે ચક્કાજામ હોવાની લોકચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!