Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર : તાલુકા સરકારી હોસ્પિટલમાં કોવિડની સારવાર નથી ચાલતી હોવાનો ભરૂચનાં સાંસદનો લેખિત પત્રમાં ગંભીર આક્ષેપથી ખળભળાટ…

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસોના કારણે હાલમાં લોકોમાં ડરનો માહોલ છે. જીલ્લાના તાલુકાઓમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. ભરૂચના સાસંદ મનસુખભાઈ વસાવાએ ગુજરાતના ડેપ્યુટી સી.એમ નીતીન પટેલ, અને આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીને એક પત્ર લખ્યો છે. જેમાં ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૂ નથી થઈ તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવામા આવ્યુ છે કે ભરૂચ જીલ્લામાં ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર થઈ રહી છે. પરંતુ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં વહીવટીતંત્ર દ્વારા વારંવાર સુચના આપવા છતા કોવિડની સારવાર શરૂ કરવામાં આવેલ નથી. જબુંસરની ખાનગી હોસ્પિટલમા સારવાર ચાલે છે પણ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલતી નથી.

વધુમાં પત્રમા તેમને આક્ષેપ લગાવ્યો છે. જંબુસર સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પોતાની ખાનગી હોસ્પિટલ વડોદરા ખાતે ચલાવે છે અને તેમને સરકારી હોસ્પિટલ ચલાવામાં રસ નથી. ખાનગી હોસ્પિટલ ચલાવામાં રસ છે. તેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૂ થાય તે માટે યોગ્ય ઘટતુ કરશો તેવુ લેખિતપત્રમાં જણાવામાં આવ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વાલીયા નજીક કોંઢ ગામ નજીક એસ.ટી. બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોને ઇજા પહોંચી.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

અંકલેશ્વર : વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!