Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

Share

તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માતે મોતનાં ગુનાની ફરિયાદ નોંધાઇ છે.

બનાવની વિગત મુજબ તા.૧૪/૪/ર૧ ના રોજ ડાભીયા ગામે મરનાર દિનેશભાઇ કંચનભાઇ તડવી (ઉ.વ. ૫૦ રહે. ડાભીયા) પોતાની ભેંસને ગામની ભાગોળે આવેલ અશ્વિની નદીમાં પાણી પીવડાવવા માટે બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં લઇ ગયેલ ત્યારે કોઇ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યુ હતુ. મરણની ખબર જગદીશભાઈ દિનેશભાઇ તડવી (રહે. ડાભીયા) એ કરતા પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ૨૨ શાળાઓમાં સ્કુલબેગ અને અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરાયું

ProudOfGujarat

માત્ર રૂ. 5 હજારની લાંચ અંગે પોલીસ કર્મચારીએ પોતાની સરકારી નોકરીની પરવા ન કરી જાણો ક્યાં અને કેવી રીતે સફળ ACB ની ટ્રેપ ગોઠવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!