Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.

Share

દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જી.સી.ઈ.આર.ટી દ્વારા ધોરણ 3 થી 8 ની તારીખ 27 થી સામાયિક કસોટી લેવાનું નક્કી કરેલ હતુ જે બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કોરોના મહામારીના આવા સમયે સામાયિક કસોટી ન યોજવા શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી જે બાબતે જી.સી.ઈ.આર.ટી ના સચિવ દ્વારા આજરોજ સામાયિક કસોટી મોકૂફ રાખવા અંગેનો પરિપત્ર કરવામાં આવેલ છે. આમ હવે કસોટી લેવાની રહેતી નથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા શિક્ષકોના પ્રશ્નોની સચોટ રજૂઆત કરતુ રહ્યું છે અને તેનું પરિણામ પણ સકારાત્મક મળે છે. આ પરિપત્ર કરાવવા બદલ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરીએ ડો વિનોદ રાવ સાહેબ, સચિવ જી.સી.ઈ.આર.ટી, રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ, મહામંત્રી સતિષભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે એમ અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ-એકતા નર્સરીની મુલાકાત લઇ લેસર-શો નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ.

ProudOfGujarat

ભાવનગરમાં પ્લાસ્ટિક વિજન ઈન્ડિયાના એક્ઝિબિશનની 12 મી આવૃત્તિની કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

નડિયાદ : ડિસ્પેચ સેન્ટર પર બે પોલીગ કર્મચારી બેભાન થતાં સારવાર અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!