Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.

Share

દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જી.સી.ઈ.આર.ટી દ્વારા ધોરણ 3 થી 8 ની તારીખ 27 થી સામાયિક કસોટી લેવાનું નક્કી કરેલ હતુ જે બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કોરોના મહામારીના આવા સમયે સામાયિક કસોટી ન યોજવા શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી જે બાબતે જી.સી.ઈ.આર.ટી ના સચિવ દ્વારા આજરોજ સામાયિક કસોટી મોકૂફ રાખવા અંગેનો પરિપત્ર કરવામાં આવેલ છે. આમ હવે કસોટી લેવાની રહેતી નથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા શિક્ષકોના પ્રશ્નોની સચોટ રજૂઆત કરતુ રહ્યું છે અને તેનું પરિણામ પણ સકારાત્મક મળે છે. આ પરિપત્ર કરાવવા બદલ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરીએ ડો વિનોદ રાવ સાહેબ, સચિવ જી.સી.ઈ.આર.ટી, રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ, મહામંત્રી સતિષભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે એમ અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દેવસુતી અગિયારસથી દુગ્ધાભિષેક અને વિધિવત પૂજન કરી માછીમાર સમાજે સિઝનનો પ્રારંભ કર્યો.

ProudOfGujarat

માંગરોળમાં દીપડાએ રાત્રે ખેડૂત પશુપાલકનાં ત્રણ વાછરડા ફાડી ખાધા : સ્થાનિક ખેડૂત પશુપાલકોમાં ફફડાટ…

ProudOfGujarat

ભરૂચ હાઈવે પર વડદલા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!