Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

Share

– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી.

– સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત થયા છે !

Advertisement

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. જેમાં 2 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓના મોત થયા છે. એ બાબત અગત્ય ગંભીર કહી શકાય, જોકે સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત દર્શાવ્યા છે.

મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ-વણીક સમાજ રાજપીપળાએ જવાબદારી સંભાળી માનવતાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ તમામના રાજપીપળા કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો હાલની વિકસ સ્થિતિમાં નાત જાતના ભેદભાવ વિના સાચે જ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે બિરદાવવા લાયક છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ અમરતપરા ગામ નજીકથી મૃતદેહના ટુકડા કરી કોથળામાં ભરી નિકાલ કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત પાલેજમાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડીના ખડકીયા(બો) શાળાના આચાર્ય એ શાળામાં જ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!