Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં માછીમાર સમાજ દ્વારા 2 બોટ લાકડાનું દાન અપાયું.

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. કોરોનાથી થતાં મૃત્યુ આંકમાં સતત વધારો થતો જાય છે આથી ભરૂચનાં વેજલપુર માછીમાર સમાજ દ્વારા કોવિડ સ્મશાનમાં લાકડાની સેવા આપવામાં આવી હતી.

ભરૂચમાં કોવિડ-19 થી મોતનું તાંડવ હજુ પણ યથાવત રહ્યું છે ત્યારે સમાજનાં સેવાભાવી યુવક મંડળો દ્વારા કોવિડ-19 સ્મશાનમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાનાં વેજલપુર માછીમારી સમાજનાં યુવકો દ્વારા જાતે લાકડા કાપીને 2 બોટ ભરીને લાકડા ભરૂચનાં કોવિડ સ્મશાનમાં અનુદાન આપવામાં આવ્યું હતું. આ તકે સર્વે ભરૂચનાં મંડળો અને સેવાભાવી સંસ્થાઓએ પણ આગળ આવી કોવિડ-19 નાં દર્દીઓ માટે પણ સેવાભાવી કામગીરી કરવા આ યુવકોએ સંદેશ પાઠવ્યો હતો.

Advertisement

Share

Related posts

કાળજાળ ગરમીના પગલે ભરૂચ જીલ્લાના રહીશો ત્રાહિમામ

ProudOfGujarat

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા, બે ફરાર.

ProudOfGujarat

શનિવારે વિરમગામના ઐતિહાસિક શ્રી ગેગડી હનુમાનજી દાદાનો હોમાત્મક યજ્ઞ યોજાયો.મોટી સંખ્યામાં ભક્તોએ ગેગડી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને પ્રસાદ ગ્રહણ કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!