Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં માછીમાર સમાજ દ્વારા 2 બોટ લાકડાનું દાન અપાયું.

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. કોરોનાથી થતાં મૃત્યુ આંકમાં સતત વધારો થતો જાય છે આથી ભરૂચનાં વેજલપુર માછીમાર સમાજ દ્વારા કોવિડ સ્મશાનમાં લાકડાની સેવા આપવામાં આવી હતી.

ભરૂચમાં કોવિડ-19 થી મોતનું તાંડવ હજુ પણ યથાવત રહ્યું છે ત્યારે સમાજનાં સેવાભાવી યુવક મંડળો દ્વારા કોવિડ-19 સ્મશાનમાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાનાં વેજલપુર માછીમારી સમાજનાં યુવકો દ્વારા જાતે લાકડા કાપીને 2 બોટ ભરીને લાકડા ભરૂચનાં કોવિડ સ્મશાનમાં અનુદાન આપવામાં આવ્યું હતું. આ તકે સર્વે ભરૂચનાં મંડળો અને સેવાભાવી સંસ્થાઓએ પણ આગળ આવી કોવિડ-19 નાં દર્દીઓ માટે પણ સેવાભાવી કામગીરી કરવા આ યુવકોએ સંદેશ પાઠવ્યો હતો.

Advertisement

Share

Related posts

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

ભરૂચનાં હુશેનીયા રેલવે ક્રોસિંગ પાસેથી કિશોરીનું અપહરણ, બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

કરજણના દેથાણ ગામે સ્મૃતિ સ્મારક ધામ ખાતે તા.30 ના રોજ “પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!