Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજના અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક કોલોનીનાં રૂમમાં રહેતા કામદારનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત.

Share

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલ અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોલોનીનાં રૂમમાં રહેતા અને ઇજેક્ટ કંપનીના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા ૨૮ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દહેજ અંભેઠા બસ સ્ટેન્ડ નજીક કોલોનીના રૂમમાં ભાડેથી રહેતા સુમન કુમાર નારણભાઈ તાતી ઉ.વ ૨૮ વર્ષ નાઓએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગત રાત્રીના સમયે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ખળભળાટ મચ્યો હતો.

Advertisement

દહેજની ઇજેક્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પરપ્રાંતીય ઈસમ સુમનના અચાનક ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાની જાણ દહેજ મરીન પોલીસને કરવામાં આવતા દહેજ મરીન પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરી

ProudOfGujarat

‘મહારાજ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ જણાવ્યું કે ‘હોલી કે રંગ મા’ ગીતના શૂટિંગ પાછળનું કારણ શું હતું?

ProudOfGujarat

વડોદરાના હરણી વિસ્તારના રહીશોનો પીવાનું પાણી ન મળતા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!