Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સીતપોણ ગામની સીમમાં આકાશી વીજ ત્રાટકતા 43 બકરાનાં મોત…

Share

પાલેજ : ભરૂચ તાલુકાના સીતપોણ ગામની સીમમાં આકાશી વીજળી ત્રાટકતા કરુણ ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાથી એક સાથે 43 બકરાના મૃત્યુ થયાના અહેવાલ સાંપડ્યા છે. અચાનક જ ભારે વીજ ગર્જના સાથે વીજ ત્રાટકતા પશુ ચરાવી રહેલા પશુ ચાલકો પણ હેબતાઈ ગયા હતા. પ્રચંડ કડાકા સાથે આકાશી વીજ ત્રાટકતા બકરાઓના મોત નીપજ્યા હતા. એક સાથે ૪૩ બકરાના મોતથી પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું હતું. બકરાઓનાં મોતથી ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. કુદરતી આફતથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બપોર બાદ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળી કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન આ કરુણ ઘટના બનતા પંથકમાં આઘાતની લાગણી ફેલાઇ છે.

Advertisement

Share

Related posts

મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર રાજકીય પક્ષો સાથે ચર્ચા: કલેક્ટર અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

PMO 15’દિમાં જણાવે વિદેશથી કેટલું કાળું નાણું પાછું આવ્યું, લોકોના ખાતામાં કેટલા જમા કરાવ્યાઃ માહિતી પંચ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની નગરપાલિકાના અને પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થવાની તૈયારી…હવે દરેક સ્થાને વહીવટદાર નિમાશેે…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!