Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સીતપોણ ગામની સીમમાં આકાશી વીજ ત્રાટકતા 43 બકરાનાં મોત…

Share

પાલેજ : ભરૂચ તાલુકાના સીતપોણ ગામની સીમમાં આકાશી વીજળી ત્રાટકતા કરુણ ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાથી એક સાથે 43 બકરાના મૃત્યુ થયાના અહેવાલ સાંપડ્યા છે. અચાનક જ ભારે વીજ ગર્જના સાથે વીજ ત્રાટકતા પશુ ચરાવી રહેલા પશુ ચાલકો પણ હેબતાઈ ગયા હતા. પ્રચંડ કડાકા સાથે આકાશી વીજ ત્રાટકતા બકરાઓના મોત નીપજ્યા હતા. એક સાથે ૪૩ બકરાના મોતથી પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું હતું. બકરાઓનાં મોતથી ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. કુદરતી આફતથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બપોર બાદ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળી કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન આ કરુણ ઘટના બનતા પંથકમાં આઘાતની લાગણી ફેલાઇ છે.

Advertisement

Share

Related posts

નડિયાદ જવાહર નગરના ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ઉજવાશે

ProudOfGujarat

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

ProudOfGujarat

દેડીયાપાડા : સરકારી વિનયન કોલેજ ખાતે યુનિસેફ અને આદિવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા તારુણ્ય મોડ્યુલ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!