Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉતમ સેવા : પિતાની પુણ્યતિથિ નિમિત્તે કોરોનાગ્રસ્તોને ૮૦૦ ફુડ પેકેટ વિતરણ કરાયું.

Share

વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટીએ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સમાજ સેવા કરી ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું.

વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટીએ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે વલસાડની કોવિડ હોસ્પિટલમાં 800 વધુ લોકોને ફુટ પેકેટ પહોંચાડીને સમાજ સેવાનું કામ કર્યું હતું અને પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરી હતી.

હાલમાં કોરોના કાળે તબાહી મચાવી દીધી છે જેના કારણે વલસાડ જિલ્લામાં ૨૦૦૦ થી વધુ મૃત્યુ થયા છે હોસ્પિટલોમાં લોકોને બેડ પણ નથી મળતા અને કોરોના પેશન્ટોને ખાવાનુ પણ નથી મળતું જેના કારણે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે અને કોરોનાગ્રસ્ત અને તેમના પરિવારજનોને ખાવાનું પહોંચાડતી હોય છે વલસાડ નજીકના પાનેરા પારડી નિત્યાનંદ પાર્કમાં રહેતા અને પાનેરા હનુમાન મંદિરના ટ્રસ્ટી ભુપેશ અંબેલાલ દેસાઇ સમાજસેવક અને તેમના પિતા અંબેલાલ મોરારજી દેસાઈ તેમનું મૃત્યુ થયું હતું અને તારીખ ૧૫ -૫-૨૧ રોજ તેમની પુણ્યતિથિ હોય જેથી પૂત્ર ભુપેન્દ્રભાઈ આ પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું જેથી હાલમાં કોરોના કારમાં વલસાડની સિવિલ હોસ્પિટલ વલસાડ નગરપાલિકા હોસ્પિટલ પોલીસ સ્ટેશન ૮૦૦ થી વધુ જેટલા ફૂડ પેકેટો પહોંચાડ્યા હતા અને અનોખી રીતે પુણ્યતિથિની ઉજવણી કરી હતી જ્યારે ફુટ પેકેટ વિતરણમાં દિલીપભાઈ ધીરૂભાઈ (કરાચીવાળા), ભાઈ દેવાંગભાઈ દેસાઈ (હનુમાનજી મંદિર પ્રમુખ પાનેરા પારડી), મહેશભાઈ દેસાઈ સદસ્ય હાજર રહ્યા હતા.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝે આપ્યા રાજકારણમાં આવવાના સંકેતો.

ProudOfGujarat

રાજપીપળામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી.

ProudOfGujarat

સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAP ના નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા સફાઇ કરી વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!