Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી કેળ અને કેરીના પાકો થયા નષ્ટ…

Share

પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર રાજ્ય કોરોના સંકમણના દર્દીઓના વધારાની સાથે એકાએક તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, છેલ્લા બે દિવસથી પવન તેજ ગતિએ ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે,

તેજ ગતિના વાવાઝોડાના કારણે વીજ કંપનીના વાયરો તુટી પડવાથી છેવાડાના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, ભારે ગરમી-બફારાના કારણે રહીશોની હાલત બદ્દતર બની જવા પામી હતી.

જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી, જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો, અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી, ૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે, ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજુરી ફણ માથે પડી હતી, ખેડુતોની દયનીય હાલત બની વળતરની માંગ કરી રહ્યા છે, તૌકતે વાવાઝોડાની અસર હાલ પણ વતૉઇ રહી છે, આવનાર સમયમાં ભારે નુકસાન થઈ શકે છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર, અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસથી જંગલો હર્યાભર્યા બન્યા.

ProudOfGujarat

ભરૂચ : ધુળેટી પર્વની ઉજવણી કરી નર્મદા નદીમાં ન્હાવા પડેલ શુકલતીર્થ ગામના બે યુવાનો લાપતા થયા..!!

ProudOfGujarat

સાંજે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળેલ બે વ્યક્તિઓને અજાણ્યા વાહને અડફેટ માં લઇ તેમના મોત નિપજ્યા હતા …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!