Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી કેળ અને કેરીના પાકો થયા નષ્ટ…

Share

પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર રાજ્ય કોરોના સંકમણના દર્દીઓના વધારાની સાથે એકાએક તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, છેલ્લા બે દિવસથી પવન તેજ ગતિએ ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે,

તેજ ગતિના વાવાઝોડાના કારણે વીજ કંપનીના વાયરો તુટી પડવાથી છેવાડાના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, ભારે ગરમી-બફારાના કારણે રહીશોની હાલત બદ્દતર બની જવા પામી હતી.

જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી, જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો, અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી, ૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે, ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજુરી ફણ માથે પડી હતી, ખેડુતોની દયનીય હાલત બની વળતરની માંગ કરી રહ્યા છે, તૌકતે વાવાઝોડાની અસર હાલ પણ વતૉઇ રહી છે, આવનાર સમયમાં ભારે નુકસાન થઈ શકે છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકા ખાટે મૂળનિવાસી એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માન કરાયું

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા ઢાઢરના પૂરથી થયેલ નુકસાન બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

નવી વંદે ભારત એક્સપ્રેસે તોડ્યો બુલેટ ટ્રેનનો રેકોર્ડ, માત્ર 52 સેકન્ડમાં 100 KMની ઝડપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!