Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વાઘેશ્વર મંદિરનો પતરાનો શેડ વાવાઝોડામાં ઉડયો.

Share

હાલમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ઘણા સ્થળોએ તબાહી સર્જી છે, ત્યારે નર્મદા કાંઠા વિસ્તારમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ પ્રાચીન વાઘેશ્વર મહાદેવ મંદિરને પણ વાવાઝોડામાં મોટું નુકસાન થયું છે. ગૌશાળા તથા મંદિર પરિસરમાં ૪૦ થી ૬૦ જેટલા પતરાનો એંગલો અને ચેનલોથી બનાવેલ શેડ વાવાઝોડામાં ઉખડીને દૂર ફેંકાઈ ગયો હતો. ભારે પવનના પગલે ચેનલો અને એંગ્લો સાથે આખો શેડ ઉખડીને મંદિર પરિસરમાં જ ૫૦ ફૂટ જેટલો દૂર ફેંકાઈ ગયો હતો. સદનસીબે મંદિર પરિસરમાં રહેતા ઈસમોને કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ મોટો શેડ વાવાઝોડામાં ઉડી જવાથી મોટુ નુકસાન થયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા શહેર પોલીસ તંત્રએ લોકોને માસ્ક આપી કોવિડની સમજણ આપી.

ProudOfGujarat

નર્મદા : ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારનાં વિરોધમાં નર્મદાનાં પત્રકારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરથી કોલસાની હેરાફેરીનું કૌભાંડ ઝડપી લઇ 7 આરોપીની અટકાયત કરતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!