Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : શુક્ર, શનિ ‍અને રવિવારે રાજપારડી બજાર ખુલ્લું રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરનું બજાર શુક્ર શનિ અને રવિવારના રોજ ખુલ્લુ રહેશે. રાજપારડી ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક જાહેર નિવેદનમાં આગામી શુક્ર, શનિ અને રવિવારના રોજ રાજપારડીનું બજાર ખુલ્લું રહેવા અંગે જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલાના શુક્ર, શનિ અને રવિવારના રોજ કોરોના સંક્રમણને વધતુ અટકાવવાના પગલારૂપે રાજપારડી બજાર બંધ રાખવામાં આવ્યુ હતુ. જોકે તા.૨૧,૨૨ અને ૨૩ મે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ રાજપારડી બજાર ખુલ્લુ રહેશે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ હતુ. કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક ઓડિયો સંદેશ દ્વારા નગરનું બજાર ખુલ્લુ રહેવા સંબંધી જાહેર નિવેદન બહાર પાડ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડા ખાતે સરકારી આર્ટસ કોલેજ ખાતે કોમર્સ અને સાયન્સ વિભાગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!