Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના વાલિયાના ચમારીયા ગામમાંથી વૃક્ષ પર લટકતા યુવાનની લાશ મળી..

Share

ભરૂચ પંથકના અંકલેશ્વર ગામમાં આજરોજ વહેલી સવારે એક વૃક્ષ પર મૃતદેહ લટકેલ અવસ્થામાં મળી આવ્યો હતો. જે અંગે જાણ થતા મૃતદેહ પોલિસ દ્વારા પી. એમ અર્થે ખાસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વાલિયાના ચમારીયા ગામની સીમમાં આજે વહેલી સવારે ખેતરની વચ્ચે જ વૃક્ષ પર એક મૃતદેહ લટકેલ અવસ્થામાં મળી આવ્યો હતો. બનાવ અંગે માહીતી અનુસાર આ મૃત દેહના શરીર પર તિક્ષણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોય અને તેણે લટકાવી દેવામાં આવ્યો હોય તેવું તારણ આસપાસના લોકો દ્વારા કાઢવામાં આવ્યું હતું. આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તેની તપાસ હાથ ધરવા વાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ચપ્પુના ઘા કોણે અને શા કારણે માર્યા એ તારણ હજુ બહાર આવ્યું નથી. જે અંગે વાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળતી રથયાત્રા કોરોના મહામારીના કારણે રદ : મંદિર પરિસરમાં જ નીકળશે રથયાત્રા.

ProudOfGujarat

 શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ : ૩૦મી જાન્યુઆરીએ સવારે ૧૧:૦૦ કલાકે એક મિનીટ સુધી સાયરણ વાગશે, બે મિનિટ મૌન પાળવું

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી જૈન સંઘ ચંપાપુરી પ્રભા તીર્થમાં ચાતુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!