Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગના ખરાઠા ગામની સગીરાને ઉઠાવી હવસખોરોનો અમાનવીય કૃત્યને અંજામ આપવાનો પ્રયાસ.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામના એક ગરીબ આદિવાસી પરીવારની સગીર દીકરી કાકડકુઈ ગામમાં આવેલ વિધાપીઠમાં ધોરણ : ૧૧ માં અભ્યાસ કરતી હતી. સગીર દીકરીને તેના જ ગામના ગણપત ઢેળીયા વસાવા અને કનુ છોટીયા વસાવા મોટરસાઇકલ ઉપર કાકડકુઇ આવીને ફોન કરીને જણાવેલ કે,તુ બહાર આવી જા મારે કામ છે, અને તુ બહાર નહીં આવે તો તારા ઘરે મમ્મી-પપ્પાને હેરાન કરીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ સગીરા બહારા આવતા તેને મોટરસાઇકલ ઉપર બેસાડી કાકડકુઇ ગામના જંગલ વિસ્તારમાં લઇ જઇને બળાત્કાર કરવાની કોશિશ કરતા હતા, અને છુટા પથ્થરો મારતા ભાગી ગયા હતા, અને ફરીથી મોટરસાઇકલ ઉપર બેસાડી કુંડ ગાનમાં બસ સ્ટેન્ડ ઉપર મુકીને ફરાર થઇ ગયા હતા. થોડા દિવસો બાદ તે સગીરા પોતાના ઘરેથી માતા-પિતાને કહ્યા વગર ઘરેથી જતી રહેલ હતી. તેની શોધખોળ કરતાં બે દિવસ બાદ મળી હતી. જેમાં ખરાઠા ગામના જીગ્નેશ ગેરીયા વસાવા સાથે પ્રેમસબંધ હોવાથી તે ભગાડી ગયો હતો તેવું માલુમ પડ્યું હતું.

આ બાબતે સગીરાના માતાપિતાએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. નેત્રંગ પોલીસે ત્રણેય હવસખોરો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની કવાયત હાથધરી હતી.

Advertisement

ફરાર ત્રણેય હવસખોર :

(૧) ગણપત ઢેળીયા વસાવા.રહે ખરાઠા તા.નેત્રંગ
(૨) કનુ છોટીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ
(૩) જીગ્નેશ ગેરીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ


Share

Related posts

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

ProudOfGujarat

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.

ProudOfGujarat

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને પાલેજ ખાતે મુસ્લિમ સમાજે અંજલિ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!