Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગના ખરાઠા ગામની સગીરાને ઉઠાવી હવસખોરોનો અમાનવીય કૃત્યને અંજામ આપવાનો પ્રયાસ.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામના એક ગરીબ આદિવાસી પરીવારની સગીર દીકરી કાકડકુઈ ગામમાં આવેલ વિધાપીઠમાં ધોરણ : ૧૧ માં અભ્યાસ કરતી હતી. સગીર દીકરીને તેના જ ગામના ગણપત ઢેળીયા વસાવા અને કનુ છોટીયા વસાવા મોટરસાઇકલ ઉપર કાકડકુઇ આવીને ફોન કરીને જણાવેલ કે,તુ બહાર આવી જા મારે કામ છે, અને તુ બહાર નહીં આવે તો તારા ઘરે મમ્મી-પપ્પાને હેરાન કરીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ સગીરા બહારા આવતા તેને મોટરસાઇકલ ઉપર બેસાડી કાકડકુઇ ગામના જંગલ વિસ્તારમાં લઇ જઇને બળાત્કાર કરવાની કોશિશ કરતા હતા, અને છુટા પથ્થરો મારતા ભાગી ગયા હતા, અને ફરીથી મોટરસાઇકલ ઉપર બેસાડી કુંડ ગાનમાં બસ સ્ટેન્ડ ઉપર મુકીને ફરાર થઇ ગયા હતા. થોડા દિવસો બાદ તે સગીરા પોતાના ઘરેથી માતા-પિતાને કહ્યા વગર ઘરેથી જતી રહેલ હતી. તેની શોધખોળ કરતાં બે દિવસ બાદ મળી હતી. જેમાં ખરાઠા ગામના જીગ્નેશ ગેરીયા વસાવા સાથે પ્રેમસબંધ હોવાથી તે ભગાડી ગયો હતો તેવું માલુમ પડ્યું હતું.

આ બાબતે સગીરાના માતાપિતાએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. નેત્રંગ પોલીસે ત્રણેય હવસખોરો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની કવાયત હાથધરી હતી.

Advertisement

ફરાર ત્રણેય હવસખોર :

(૧) ગણપત ઢેળીયા વસાવા.રહે ખરાઠા તા.નેત્રંગ
(૨) કનુ છોટીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ
(૩) જીગ્નેશ ગેરીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે યોગ્ય વ્યવસ્થાનાં અભાવે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : કમોસમી વરસાદ પડતાં ખાનગી ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગ ઉપર ખુલ્લી ગટરો હોવાથી સ્થાનિકોનો રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!