Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

Share

ગોધરા નગરપાલિકાના સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર દ્વારા એમજીવીસીએલ ના નાયબ ઇજનેર આવેદનપત્ર આપવામાં આવ્યુ છે જેમા જણાવામા આવ્યુ છે જુના પાવર હાઉસ સામે તિરગરવાસમાં અશોકભાઈ રતિલાલ પરમારના મકાન આગળ વીજ કનેક્શન સાથે વીજ થાંભલો આવેલ છે. જે થાંભલો નમી ગયેલ છે. જે સ્થાનિક લોકો માટે જોખમકારક છે હાલ ચોમાસાની સીઝન દરમિયાન વાવાઝોડું કે ધોધમાર વરસાદ આવે તો ગમે ત્યારે આ મકાન પર નમી ગયેલ વીજ થાંભલો પડી જાય તેમ છે જેના કારણે આજુબાજુના રહીશો માટે જોખમકારક છે અને અહીં રહેતા સ્થાનિક લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને રહે છે તો કોઇ ઘટના ન બને તે પહેલા મકાન પર નમી ગયેલ થાંભલો વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા માટે આવેદનપત્ર એમજીવીસીએલના નાયબ ઇજનેર આપવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.3 લાખથી વધુ મત્તાની ચોરી.

ProudOfGujarat

વિધાનસભાની ચુંટણી પુર્વે રોજ નવા સમીકરણોના મંડાણથી ઝઘડિયા વિસ્તારમાં ચકચાર !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!